• ઉત્તરપ્રદેશ ની અંદર કન્નોજ માં એક મગજ માં તાવ ના કારણે બાળક નું મોત જિલ્લા હોસ્પિટલ માં થયું છે. મળતી માહિતી મુજબ, પરિવારના લોકો એ ડોક્ટરો એ લાપરવાહી નો આરોપ લગાવ્યો છે. 
  • આ ઉપરાંત, તેમનું કેવું છે કે કોરોના ના ડર ના લીધે ઘણા સમય સુધી ડોક્ટરો એ તેને સ્પર્શતા પણ ના હતો. સમય પર તેનો ઈલાજ ન મળવાના કારણે તેમના બાળક નું મોત થયું છે. સીએમએસ એ પરિવાર ને ડેડબોડી આપી ઘરે મોકલી આપ્યા હતા.
  • સદર કોટવાલી વિસ્તારના રહેતા પ્રેમચંદ્રના ચાર વર્ષના પુત્ર અનુજ ને ઘણા દિવસ થી તાવ આવી રહ્યો હતો. આ દરમિયાન રવિવારે તાવ વધતા પરિવારે તેને લઇ ને જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા. પરંતુ લાંબા સમય સુધી અહીં થી ભટક્યા પછી તેને ઇમરજન્સી માં લઇ ગયા.
  • બાળક ની તબિયત ખુબ જ ગંભીર જણાતા ડો. વી.કે. શુક્લા એ તપાસ કર્યા બાદ બાળકો ના ડૉક્ટર પીએમ યાદવ પાસે મોકલી આપ્યા હતા. લાંબા સમય સુધી ભટક્યા પછી બાળક નું મોત નીપજ્યું હતું.
  • આ અંગે પરિવાર ના લોકોએ જિલ્લા હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. પ્રેમચંદ્ર એ જિલ્લા હોસ્પિટલના ડોક્ટરો પર આરોપ લગાવ્યો હતો કે તેના બાળકને કોરોના ને કારણે સારવાર આપવામાં આવી નથી. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. 

  • લગભગ અડધો કલાક સુધી હોબાળો મચાવ્યા હતો તુરબાદ પરિવાર ને સમજાવી મૃતદેહ સાથે તેના ઘરે મોકલી આપ્યો હતો. સીએમએસ ડોક્ટર યુસી ચતુર્વેદીએ જણાવ્યું કે બાળકને ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી.
  • પરંતુ મગજ ના તાવ ને કારણે ડો પીએમ યાદવે બાળક ની તપાસ કરી અને કાનપુર લઇ જવાની સલાહ પણ આપી. સમયસર જિલ્લા હોસ્પિટલ માં ન લાવ્યા તેથી તેને કાનપુર મોકલી શકાયા નહિ. અમારા તરફ થી સારવાર માં કોઈ બેદરકારી નથી. 
  • સીએમઓ ડો. કૃષ્ણ સ્વરૂપ એ કહ્યું હતું કે તેમને આ કેસ અંગે પુરી જાણકારી નથી. જો તેમના પિતા ફરિયાદ કરશે તો પછી તપાસ કરવામાં કરવામાં આવશે કે શું બન્યું હતું.