• આ મહિનામાં બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે ખુબ જ પ્રખ્યાત કલાકારો ઇરફાન ખાન અને ઋષિ કપૂરને ગુમાવ્યા. આ દુઃખદ સમાચાર વાત સામાન્ય લોકોથી માંડીને મોટા સ્ટાર્સ અને પીએમ મોદીએ પણ કલાકારોના નિધન પર ખુબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું. 
  • મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે, ફ્લોપ અભિનેતા કમલ રાશિદ ખાને આ મોડા અભિનેતાઓ ઉપર ખુબ જ અભદ્ર અને સંવેદનશીલ ટ્વીટ્સ કરીને બધા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. 
  • લોકો કેઆરકેના આ અભદ્ર અને સંવેદનશીલ ટ્વીટ્સથી એટલા બધા નારાજ થયા કે લોકો તેનું એકાઉન્ટ જ ડિલીટ કરવાની માંગ કરવા લાગ્યા. આ દરમિયાન કમલ આર ખાનને ફિલ્મ એક વિલનમાં અભિનય નું પાત્ર આપનાર બોલિવૂડ ડિરેક્ટર મિલાપ ઝવેરી પણ ખુબ જ ગુસ્સે થયા હતા.
ઋષિ કપૂર અને ઇરફાન પર કમલ રાશિદ ખાનના અભદ્ર ટ્વીટ્સ
  • 29 એપ્રિલ ના રોજ ઋષિ કપૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે કેઆરકેએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ઠીક થઈને ઘરે આવજો. છોડીને જતા નો રહેતા, કેમ કે દારૂની દુકાન હવે 2-3 દિવસ માં ખુલવાની જ છે.

  • આવી ટ્વીટ કર્યા બાદ, 29 એપ્રિલ ના રોજ ઇરફાન ખાન અને 30 એપ્રિલ ના ઋષિ કપૂરનું અવસાન થયું.આવા દુઃખદ સમયે કમલ આર ખાને ટ્વીટ કર્યું કે, મેં થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે કોરોના કોઈ પ્રખ્યાત સેલિબ્રિટી લીધા વિના જઇ શકશે નહીં. તે સમયે મેં નામો નોતા લખ્યા કારણ કે લોકો મને ગાળો આપતે. પરંતુ મને ખબર જ હતી કે ઇરફાન ખાન અને ઋષિ કપૂર જશે. અને મને એ પણ ખબર છે કે હવે કોણ હશે...

  • આ ઉપરાંત ઇરફાન ખાન વિશે ટ્વીટ્સ કરી ને કહ્યું હતું કે ઇરફાન ખાન ને બદ-દુવા લાગી, એટલા માટે જ તે કેન્સર સામે લડી રહ્યા હતા અને તેની માતા (સઇદા બેગમ) પણ ચાલી ગઈ.

ખુબ જ નેગેટિવિટીથી ભરેલો છે કેઆરકે
  • આવી ટ્વીટ્સ કરવા બદલ સોશિયલ મીડિયા પર લોકોએ તેના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કેઆરકેના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવાની પણ માંગણી કરી રહ્યા હતા અને તેની સામે પોલીસ ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. 
  • ત્યારે પછી કમલ આર ખાને તેની બધી ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. આ દરમિયાન, ડાયરેક્ટર મિલાપ ઝવેરી જેમણે તેની ફિલ્મ એક વિલનમાં રોલ આપ્યો હતો તેના પર ગુસ્સાથી લખ્યું હતું કે, આ વ્યક્તિએ કેઆરકે નકારાત્મકતા પર જીત મેળવી છે. અમે ઉદ્યોગના લોકોએ તેને પાંખો આપી છે. આને કારણે જ, આ ખરાબ સમયમાં રુડ અને ડિસઓર્ડર રહેવાની હિંમત મળી છે. ભૂતકાળમાં આ વ્યક્તિ સાથે મૈત્રીપૂર્ણ રહેવાની મને ખુબ જ શરમ છે. હું મારી ભૂલ શીખી ગયો છું. આશા છે કે તમે બધા પણ શીખી શકશો.

  • આવી ટ્વીટ્સ કરવા બદલ આશ્ચર્યચકિત ની વાત તો એ છે કે આ બધું બન્યા પછી પણ કેઆરકે કઈ ખબર નો પડી કે હું શું બોલું છું અને પોતાનો બચાવ કરવા માટે સતત ટ્વીટ કરતો જતો હતો.
આ સમગ્ર બાબતો પર તમારો શું અભિપ્રાય છે અમને જણાવો...