કોરોના વાયરસ કેસો માં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ ના લક્ષણો વિશે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હાલમાં જ એક નવો ખુલાસો થયો છે. કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે.
હાલમાં વિશ્વના હજારો વૈજ્ઞાનિકો સંશોધન માં કામ કરી રહ્યા છે. 230 કરતા વધારે વૈજ્ઞાનિકો એ શોધ્યું કે હવામાં કોરોના વાયરસના નાના નાના કણો હવામાં પણ જીવંત રહે છે. અને લોકોને ચેપલગાડી શકે છે.
આની પહેલા ડબ્લ્યુએચઓ જણાવ્યું હતું કે કોરોના વાયરસનો ચેપ હવામાં નથી ફેલાતો. તેમને જણાવ્યું હતું કે આ વાઇરસ થુંક માં રહેલા ખુબ જ નાના કણો ના કારણે ફેલાય છે.
આપણા શરીરમાંથી આ નાના કણો કફ, છીંક, અને બોલે છે તે દરમિયાન બીજા વ્યક્તિ ના શરીરમાં પ્રવેશ કરે છે. ડબ્લ્યુએચઓ નું કહેવું છે કે આ કણો ખુબ હલકા નથી કે હવાના માધ્યમથી ફેલાય. આ કણો ભારે હોવાથી જમીન પર પડે છે.
હાલમાં ન્યુ યોર્ક ના એક વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે આ વાઇરસ હવા દ્વારા ફેલાય છે. આ ઉપરાંત તેમને ડબ્લ્યુએચઓ સંસ્થાને સુધારો કરવા માટે પણ કહ્યું હતું.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે આ વાઇરસના કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 5 લાખ કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે. અને વિશ્વભરમાં 1 કરોડ કરતા વધારે કેસ નોંધણા છે. હાલમાં વિશ્વમાં આ વાઇરસના કેસ ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે રશિયા પાછળ છોડી ભારત ત્રીજા ક્રમે ચેપગ્રસ્ત દેશો માં પોહચી ગયું છે. ભારતમાં આ વાઇરસનો ચેપ અત્યાર સુધીમાં 6 લાખ 93 હજાર પર પોંહચી ગયો છે. અને 19 હજાર લોકોના મોત નિપજ્યા છે.
વિશ્વમાં કોરોના વાયરસના કેસ ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ન્યુ યોર્ક ના વૈજ્ઞાનિકો એ જણાવ્યા અનુસાર જો આ વાઇરસ હવાથી ફેલાવાનો દાવો સાચો છે તો ખુબ જ ચિંતા વધી શકે છે.
હાલમાં આ વૈજ્ઞાનિકો ડબ્લ્યુએચઓ ને પત્ર ના માધ્યમથી જણાવ્યું હતું. કે મારી પાસે પુરાવાઓ પણ છે. આ વાઇરસના નાના કણો હવામાં તરતા રહે છે. અને બીજા લોકોને ચેપ લગાડી શકે છે.
હાલમાં આ દાવા અંગે ડબલ્યુએચઓ પાસે જવાબ માંગ્યો છે. ડબલ્યુએચઓ એ હજી પણ આનો જવાબ આપ્યો નથી. ડબ્લ્યુએચઓએ કીધું હતી કે જે પુરાવો ઓ મળ્યા છે તેના પર સંશોધન કરી રહ્યા છીએ અમે.
0 Comments